અમિત શાહનાં નકલી વીડિયોનો મામલો: ગૃહમંત્રીએ કહ્યું- ધર્મ આધારિત આરક્ષણને અમે ખત્મ કરીશું
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan30042024_060824_Amit.webp)
- 30 Apr, 2024
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું કે અમે પૂર્ણ બહુમતીનો ઉપયોગ 370ને ખત્મ કરવા માટે કર્યો છે. કોરોના સામે લડવામાં કર્યો છે. અંગ્રેજોના કાયદાને બદલીને ભારતીય પદ્ધતિના કાયદાને લાવવા અને ત્રિપલ તલાકને ખત્મ કરવામાં કર્યો છે. તે પછીથી કોર્ટમાંથી જનાદેશ મળ્યા પછી રામ મંદિરને બનાવવામાં પણ અમારી સરકારે ભૂમિકા નિભાવી છે.
અમિત શાહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી જુઠ્ઠાણું ફેલાવીને લોકોને ભ્રમમાં નાખવા માંગે છે. ભારતીય જનતા પાર્ટી એસસી, એસટી અને ઓબીસીના આરક્ષણની સમર્થક અને હમેશા તેના સંરક્ષણની ભૂમિકા નિભાવશે. આ વાત ઘણી વખત નરેન્દ્ર મોદીએ પણ કહી છે. એસસી, એસટી અને ઓબીસીના આરક્ષણમાં કોઈએ અડચણ સર્જી હોય તો તે પક્ષ છે કોંગ્રેસ.
અમિત શાહે વધુમાં કહ્યું કે સૌથી પહેલા કોંગ્રેસે સંયુક્ત આંધપ્રદેશમાં મુસલમાનોને આરક્ષણ આપ્યું છે. તેના પગલે ઓબીસીનું આરક્ષણ કપાયું છે. તે પછીથી કર્ણાટકમાં કોઈ પણ પ્રકારના સરવે વગર મુસલમાનોને ચાર ટકા કોટા રિઝર્વ આપવામાં આવ્યો છે. તેના કારણે પણ ઓબીસીનું રિઝર્વેશન ઘટ્યું છે. ધર્મના નામ પરના રિઝર્વેશનની બંધારણમાં જોગવાઈ નથી. તેથી તે ગેરબંધારણીય છે.